કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ રાપરના ભીમાસર નજીક ટ્રકમાં ઠાંસી ઠાંસીને કતલખાને લઈ જવાઈ રહેલી 9 ભેંસ અને 7 પાડીને આડેસર પોલીસે બચાવી લઈ ટ્રકમાં સવાર બે શખ્સો સામે કાયદેસર કાર્યવાહી કરી છે. ગત મધરાત્રે પેટ્રોલીંગ દરમિયાન પોલીસે ટ્રક નંબર જીજે 24 વી 8803માં ઠાંસી ઠાંસીને લઈ જવાતા પશુને જોઈ ટ્રક અટકાવી તપાસ કરી હતી. આ પશુઓને કતલ કરવા માટે પૂના ખાતે લઈ જવાતા હતા. પોલીસે તમામ 16 અબોલ જીવને મુક્ત કરાવી ટ્રકમાં સવાર રમેશ જીવા પરમાર (રહે. ભીલવાડા, પાટણ) અને ગણેશ બાબુ મરાઠી (રહે. પૂના) વિરૂધ્ધ પશુ અતિક્રમણ અને ક્રુરતા નિવારણ ધારા હેઠળ કાયદેસર કાર્યવાહી કરી હતી. બનાવની તપાસ કરી રહેલા પોલીસ કોન્સ્ટેબલ વાલાભાઈ ગઢવીએ જણાવ્યું કે, આ 16 જીવને ભુજ તાલુકાના મિરજાપર ગામેથી લઈ જવાતા હતા. આરોપીઓ પાસે સાત પશુઓની પરમીટ હતી પરંતુ તે ગેરકાયદેસર રીતે 9 જીવને કતલખાને લઈ જતા હતા.
Share it on
|