પાઇપ બેન્ડની સલામી દ્વારા કેન્યામાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રીનું જાજરમાન સ્વાગત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંત-ભક્ત મંડળસહશ્રી સ્વામિનારાયણ મંદિર-મણિનગરથી મુંબઇ... અને મુંબઇથી છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય હવાઇ મથકથી કેન્યા એરવેઝ દ્વારા બિરાજમાન થઇ જોમોકેન્યાટા ઇન્ટરનેશનલ હવાઇમથક નાઇરોબીમાં પદાર્પણ કર્યુ હતું. કેન્યા એરવેઝના નાઇરોબી ઉતરાણ સમયે આગેવાન ભકતોએ પુષ્પહાર પહેરાવી ઉષ્માસભર સ્વાગત કર્યુ હતું. એરપોર્ટથી શ્રી સ્વામિનારાયણ મંદિર-નાઇરોબી સુધી અહીંની પોલીસ એસ્કોર્ટ સેવામાં હાજર રહી હતી. શ્રી સ્વામિનારાયણ મંદિર-નાઇરોબી પધારતાં વિશ્વ વિખ્યાત શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડ, નાઇરોબીના યુવા સદસ્યોએ કર્ણપ્રિય મધુર સૂરાવલીઓ છેડીનેસ્વાગત કર્યુ હતું. અને સ્વાગતના યજમાનશ્રીએ સ્વામિનારાયણબાપા સ્વામીબાપા અને વિશ્વવાત્સલ્ય મહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજનું પૂજન-અર્ચન કરી કૃતકૃત્યતા અનુભવી હતી. જાજરમાન સ્વાગત બાદ સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની નિરપાજન કરી હતી. અને ઉપસ્થિત સહુ ભક્તોએ દર્શન કરી કૃતકૃત્યતા અનુભવી હતી.
Share it on
|