કચ્છખબરડૉટકોમ, ભુજઃ માંડવી નગરપાલિકાના મહિલા કાઉન્સિલર વિધાબેન ગોંસાઈના પતિ ભરતભાઈ શંભુગર ગોંસાઈ (ઉ.વ. અંદાજે 43)એ આજે બપોરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં માંડવીમાં ચકચાર મચી ગઈ છે. વિધાબેન પાલિકાની ટેક્સેસન કમિટિના સભ્ય છે. માંડવી પોલીસના જણાવ્યા અનુસાર સાંજે છ વાગ્યાના અરસામાં ભરતભાઈનો મૃતદેહ તેમના રહેઠાણ નજીક આઝાદ ચોકમાં આવેલાં જ્ઞાનગિરિજીના મઠમાંથી મળ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભરતભાઈએ આપઘાત પૂર્વે લખેલી મરણચિઠ્ઠી મળી છે જેમાં તેમણે પોતે સ્વેચ્છાએ આપઘાત કરી રહ્યાં હોવાનું જણાવી પોલીસને તેમના સ્વજનો અને મિત્રવર્તુળને હેરાન ના કરવા વિનંતી કરી છે. બનાવ અંગે માંડવી પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
Share it on
|