કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉના શિકરા પાસે લક્ઝરી બસ અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલાં ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામેલાં શિકરાના પાટીદાર પરિવારના નવ લોકોની સામૂહિક અંતિમવિધિ સમયે આજે આખું શિકરા હિબકે ચઢ્યું હતું. ગોઝારા અકસ્માતથી ગઈકાલથી જ શિકરા સહિત વાગડનો પાટીદાર સમાજ સ્તબ્ધ થઈ ગયો હતો. આજે સવારે મૃતદેહોની ટ્રેક્ટરની ટ્રોલીમાં અંતિમયાત્રા નીકળી ત્યારે ગામની અઢારેય વર્ણ તેમાં જોડાઈ હતી. આજે અંતિમવિધિ સમયે વિવિધ રાજકીય આગેવાનોએ પણ મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. શિકરા ગામે આજે સ્વયંભૂ સજ્જડ બંધ પાળ્યો છે. તો, વાગડના પાટીદાર પરિવારોએ અખાત્રીજ નિમિત્તે યોજનારાં લગ્ન પ્રસંગો સહિતના માંગલિક કાર્યો સાદાઈથી સંપન્ન કરવા નિર્ણય કર્યો છે.
Share it on
|