click here to go to advertiser's link
Visitors :  
29-Mar-2024, Friday
Home -> Kutch -> 9 deceased cremated in Shikara All villager mourns at funeral
Monday, 16-Apr-2018 - Bhachau 66233 views
પાટીદાર પરિવારના મૃતકોની સામૂહિક અંતિમવિધિ, શિકરા સ્વયંભૂ બંધ

કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉના શિકરા પાસે લક્ઝરી બસ અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલાં ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામેલાં શિકરાના પાટીદાર પરિવારના નવ લોકોની સામૂહિક અંતિમવિધિ સમયે આજે આખું શિકરા હિબકે ચઢ્યું હતું. ગોઝારા અકસ્માતથી ગઈકાલથી જ શિકરા સહિત વાગડનો પાટીદાર સમાજ સ્તબ્ધ થઈ ગયો હતો. આજે સવારે મૃતદેહોની ટ્રેક્ટરની ટ્રોલીમાં અંતિમયાત્રા નીકળી ત્યારે ગામની અઢારેય વર્ણ તેમાં જોડાઈ હતી. આજે અંતિમવિધિ સમયે વિવિધ રાજકીય આગેવાનોએ પણ મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. શિકરા ગામે આજે સ્વયંભૂ સજ્જડ બંધ પાળ્યો છે. તો, વાગડના પાટીદાર પરિવારોએ અખાત્રીજ નિમિત્તે યોજનારાં લગ્ન પ્રસંગો સહિતના માંગલિક કાર્યો સાદાઈથી સંપન્ન કરવા નિર્ણય કર્યો છે.

Share it on
   

Recent News  
નાણાંમંત્રી નિર્મલાના પતિએ ઈલેક્શન બોન્ડને વિશ્વનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું
 
ગાંધીધામના યુવક યુવતીએ ઊંચા વળતરની લાલચ આપી ૨૧ લાખ હજમ કર્યાંની ફરિયાદ
 
ગાંધીધામમાં કિશોરીનું અપનયન કરી દુષ્કર્મ કરનારા શાહરૂખને ૧૦ વર્ષની કેદની સજા