કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે કાર્યકાળ પૂર્ણ થયા બાદ રવિ પરમારને આજે પોર્ટ ટ્રસ્ટ દ્વારા વિદાયમાન અપાયું હતું. કેન્દ્ર સરકારમાં પાંચ વર્ષનું ડેપ્યુટેશન પૂર્ણ થતાં રવિ પરમાર પરત તેમની પેરેન્ટ કેડર બિહાર કેડરમાં જવા ઈચ્છુક છે. ડીપીટી માટે તેમનો કાર્યકાળ એકંદરે પ્રગતિકારક રહ્યો છે. તેમના સ્થાને મહારાષ્ટ્ર કેડરના આઈએએસ સંજય ભાટીયાને ચાર્જ અપાયો છે. સંજય ભાટીયાએ એમબીએ, બીઈ (મિકેનીકલ), ફાયનાન્સિયલ મેનેજમેન્ટનો વિવિધ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. સહજ ધ્યાન યોગના હિમાયતી ભાટીયા મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારમાં વિવિધ વિભાગ-પદ પર કામ કરવાનો 33 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. આજે વિદાય સમારોહમાં પરમારની સેવાઓને સહઅધિકારીઓએ બિરદાવી શુભકામનાઓ પાઠવી હતી.
Share it on
|