કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ આઈટીઆઈમાં ફરજ બજાવતા કર્મચારીની 22 વર્ષિય પત્નીએ ગઈકાલે રાત્રે ભુજમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ બન્યો છે. ભુજની જૂની રાવલવાડી સરકારી વસાહતમાં ભાડાના મકાનમાં રહેતા કિરણ પ્રજાપતિની પત્ની જાગૃતિએ ગઈકાલે રાત્રે 10 વાગ્યાના અરસામાં ગળેફાંસો ખાઈ લીધો હતો. કિરણ પ્રજાપતિ મૂળ બનાસકાંઠાનો વતની છે. મરનાર જાગૃતિના કિરણ સાથે બે પૂર્વે લગ્ન થયાં હતા. ઘટના અંગે મોડી રાત્રે જાણ થયાં બાદ ભુજ એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી ડીવાયએસપીને તપાસ સોંપી છે. જાગૃતિના આપઘાતનું કારણ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.
Share it on
|