કચ્છખબરડૉટકોમ, નલિયાઃ અબડાસાના તેરા ગામની સીમમાંથી 75 વર્ષિય વૃધ્ધનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મૃતકનું નામ મોહનલાલ દયાશંકર ગોર હોવાનું અને તે નિવૃત્ત શિક્ષક હોવાનું સ્પષ્ટ થયું છે. મોહનલાલે શિક્ષક તરીકે અગાઉ વર્ષો સુધી અબડાસાના બારા ગામમાં નોકરી કરી હતી. નિવૃત્તિ બાદ માંડવીના બિદડામાં રહેતા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક એકાદ અઠવાડીયા પૂર્વે લાપત્તા બન્યાં હતા જે અંગે સ્થાનિક પોલીસ મથકે ગુમ નોંધ કરાવાઈ હતી. દરમિયાન આજે તેમનો મૃતદેહ તેરા ગામની સીમમાં દક્ષિણે એક ખેતરના શેઢે બાવળની ઝાડીમાં લટકતી હાલતમાં મળી આવ્યો છે. ઘટના અંગે જાણ થયાં બાદ નલિયા પોલીસ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી. મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે રવાના કરાયો છે. મોહનલાલના આપઘાતનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી.
Share it on
|